પોરબંદર ની કમ્પની નું 1200 ટન ની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાન ના દરિયામાં ડુબયું


9 ક્રુ મેમ્બર ને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા
હાલ તમામ ક્રુ મેમ્બર ઓમાન ના સુર બંદરે સુરક્ષિત છે
પોરબંદર ની ગોપાલ શિપિંગ કંપનીનું વહાણ એમ એસ વી દેવીકૃપા પીબીઆર 33 30 તારીખ 29 11 2022 ના રોજ શાહજહાં પોટ થી બોસાશો આફ્રિકા જવા નીકળ્યું હતું જ્યાં માલ ભરીને રવાના થયેલ ત્યારે તારીખ 9 12 2022 ના રોજ બપોરના સમયે હવામાન ખામીના કારણે વહાણ ડૂબી ગયું હતું આ બાબતની જાણ થતા ઓમાન રોયલ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામ 9 ક્રુ મેમ્બર ને બચાવી લેવામાં આવ્યા હતા અને હાલ તેઓ ઓમાન ના સુર બંદર પર સુરક્ષિત છે જહાજ 1200 ટન ની ક્ષમતા ધરાવતું હતું
Please follow and like us:
CATEGORIES Porbandar
