શીલ ગામે સરકારી માધ્યમિક શાળા માં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

જે શોખ હોય તે વિષય નો અભ્યાસ કરવાથી શ્રે ષ્ઠ કારકિર્દી બને શીલ ગામે સરકારી માધ્યમિક શાળા માં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સઁપન્ન માધવ પુર નજીક ના શીલ ગામે ગ્રામ પંચાયત સંચાલિત શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર માં છેલ્લા 62 વર્ષથી ગ્રાન્ટેડ સરકારી માધ્યમિક શાળા અને આ પંથક માં મોખરાનુ સ્થાન ધરાવતી અને વિદ્યાર્થી ઓ ની સૌથી વધુ સઁખ્યા ધરાવતી સરકારી ગ્રા ન્ટે ટ્રેડ માધ્યમિક શાળા માં તાજેતરમાં વિદ્યાર્થી ઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નુ આયોજન કરવા માં આવેલ હતું આ પ્રસંગે આ શાળા માં ભણેલા નુ ગૌરવ અનુભવ તા પોરબંદર ના જાણીતા કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યુ હતું કે જે શોખ હોય તે વિષય નો અભ્યાસ કરવા થી શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકાય ફતેહ નો નહી પણ કસોટી નો સમય વ્યક્તિ ને મહાન બનાવે છે ઓછા ટકા આવે તો નિરાશ થવાની જરૂર નથી વિદ્યાથી ઓને ધોરણ 10 -12 અને સ્તાતક અને અનુસ્તા નક પછી ના શ્રેષ્ઠ અભ્યાસ ક્રમો અને જી. પી. એસ. સી. યુ. પી. એસ. સી સહીત ની વિવિધ પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે શીલ ના સારસ્વત શ્રી પંકજ ભાઈ કાંતિભાઈ ઠાકર એ જણાવ્યું હતું કે હું પણ આ શાળા માં ભણત્તો હતો તેમણે શાળા ના ગુરુ જનો ને યાદ કરી જણા વ્યુ હતું કે છ દાયકા પહેલા આ પથક માં એક પણ માધ્ય ક શાળા ઓ નહોતી ત્યારે છાત્રો આજુ બાજુ ના 60 જેટલા ગામડાઓ માંથી ચાલી ને વિદ્યાર્થી ઓ ભણવા આવતા આજે આ શાળા ના વિદ્યાર્થી ઓ દેશ પરદેશ અને રાજ્યમાં સરકારી નોકરીઓ માં ઉચ્ચ હોદા શોભાવી રહ્યા છે તે પૈકી ડૉ ઈશ્વરભાઈ તેમનું પ્રેરક ઉદા હરણ છે આ પ્રસંગે ગામ ના ઉત્સાહી યુવા સરપંચ જયેશભાઇ ચુડાસમા એ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ શાળા માં ભણેલા વિદાર્થી ઓનું સંમેલન બોલાવી અને અત્યા ધુનિક ભવ્ય બિલ્ડીંગ નુ નિર્માણ કરવા ની નેમ વ્યક્ત કરતા જાણવ્યું કે વિદ્યાર્થી ઓ સ્પર્ધાત્મક પરીક્ષા ની પૂર્વ તૈયારી કરી શકે તેવી ભવ્ય લાઈ બ્રરી નુ પણ નિર્માણ કરાશે આ પંથક ના છાત્રો ગુણવત્તા વાળુ શિક્ષણ મેળવી ગામનું નામ રોશન કરે તેવી અભિલા ષા સેવી હતી અને આવા કાર્યક્રમો ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનિય છે કે 21 મી જ્ઞાન ની સદી સાથે ગામડા ના વિદ્યાર્થી ઓ દેશ વિદેશ ના શિક્ષણ સાથે તાલ મેલ સાથી શકે તેમાટે સરકાર તરફથી વર્ષ 2023 માં 9 લા ખ ના ખર્ચે અત્યાધુનિક રોબોટિક્સ લેબ, એક લાખનાખર્ચે ડુ ઈટ યોર સેલ્ફ કીટ ફાળવવા માં આવી છે આધુનિક કમ્યુટર લેબ, દરેક વર્ગમાં ડીઝીટલ સ્માર્ટ બોર્ડ, ટીવી ઓડિયો વિડીયો ઉપકરણો, વિજ્ઞાન પ્રયોગ શાળા કમ્પ્યૂટ્રાઈઝ લાઈબ્રેરી, સ્પોર્ટ્સ રૂમ સહીત ની સુવિધા ઉભી કરવા માં આવી છે તેના ભાગ રૂપે આ કારકિર્દી માર્ગદર્શન નુ આયોજન કરવા માં આવ્યું છે આ માર્ગદર્શન સેમિનાર માં તેજજ્ઞો એ છાત્રો સાથે સવાદ કર્યો હતો ગામડાની આ શાળા ના છાત્રો ની તેજસ્વીતા જોઈ ને આચાર્ય અને સ્ટાફ ને તજજ્ઞો એ અભિનંદન આપ્યા હતા આ તકે શાળા ના નવ નિયુક્તિ આચાર્ય મુળુ ભાઈ ડાભીનુ કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડા ના હસ્તે સન્માન નિત કરાયા હતા આ કારકિર્દી સેમિનાર માં શ્રી મનસુખ ભાઈ પરમાર આરતી બેન પરમાર શ્રી નિશિતા બેન ચાંડેરા એભા ભાઈ પરમાર માં શારદે કુમાર છાત્રાલય ના સંચાલક ભુપત ગિરી મેઘનાથી શિક્ષક ગણ,ગ્રામ પંચાયત ના સદસયો સહીત છાત્રો મોટી સંખિયા માં હાજર રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!