રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા ૪૫ પૌષ્ટિક આહારની કીટનુ વિતરણ કરાયુ

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા રૂ. ૧૦૦૦/ – ની એક એવી ૪૫ પૌષ્ટિક આહારની કીટનુ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓ ને ને વિતરણ કરવામાં આવ્યું.
અક્ષય કીટ ક્લબના સભ્યો તેમજ તેઓના સંબંધીઓના આર્થિક સહયોગથી જીલ્લા ક્ષય કેન્દ્રમાં નોંધાયેલ ટીબીના દર્દીઓમાંથી જરૂરિયાતમંદ દર્દીઓને આ પોષ્ટિક આહારની કીટ રોટરી કલબ અને ઈનરવ્હીલ તરફથી દર મહિને આપવામાં આવે છે.
સપ્ટેમ્બર થી મે માસ આ નવ માસમાં ૩૮૯ કીટ વિતરિત કરાઈ છે, આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલ પોષણયુક્ત આહારનો ખર્ચ ઉઠાવી શકતા નથી.
રોટરી ક્લબ તથા ઇનરવ્હીલ ક્લબ દર મહિને આવી લગભગ ૪૫ જેટલી કીટ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરે છે.
આ પ્રોજેક્ટ હેઠળ આ વર્ષનું નવમું વિતરણ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને ક્લબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું.

આજે શુભ સંયોગ હતો રોટરી ક્લબના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના મુખ્ય દાતા
રો. જયેશભાઈ પતાણીનો આજે જન્મ દિવસ હતો અને તેઓ દ્વારા રૂ. ૨૫૦૦૦. નો ચેક આજે આ કીટના વિતરણ માટે રોટરી ક્લબને અર્પણ કર્યો હતો, આજે બીજા રોટરી ક્લબના મિત્ર એવા કરિયાણા એસોસિયેશનના પ્રમુખ જયેશભાઈ પોપટનો પણ જન્મદિવસ હતો અને તે પણ આ સેવા યજ્ઞમાં જોડાયા હતા તેઓ આ કિતનું પેકિંગ તેમજ પડતર ભાવે જ આ કીટ વિતરણમાં પોતાનુ યોગદાન આપે છે.
ક્લબ વતી બંને જયેશભાઈનું સન્માન કર્યું હતું.
આજરોજ પોષણયુક્ત અક્ષય કીટના ૪૫ કીટનું વિતરણ હાલ જુના દર્દીઓમાંથી ૪૦ દર્દીઓ અને નવા ૫ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવેલ છે કે જેમને પોષણયુક્ત આહારની જરૂરિયાત હોય તેવા દર્દીઓને આપવામાં આવી છે.
આ પ્રસંગે સર્વેનુ શબ્દોથી સ્વાગત ઇન્નરવ્હિલના પ્રમુખ શ્રી મીનાબેન મજીઠીયા દ્વારા કરવામાં આવેલ હતું સાથે અને નીતુબેન લાખાણી, દીપાબેન દત્તાણી‌ સાથે નેત્રી મજીઠીયાએ દર્દીઓના ફોર્મ ભરવા તેમજ અન્ય વિગતો માટેની જવાબદારી સંભાળી હતી અક્ષય કીટ બનાવવી અને વિતરણની જવાબદારી બંને ક્લબના સભ્યોએ સંભાળી હતી.
રોટેરી ક્લબ તથા ઇનરવ્હીલ ક્લબ નો દર મહીને નિયમિત અક્ષય કીટ નુ વિતરણ કરવા માટે આભાર વ્યક્ત કરેલ.
જીલ્લા ક્ષય કેન્દ્રના હેઠળ માર્ગદર્શન તેમજ ત્યાંના સ્ટાફના સભ્ય વિમલ હિંડોચા વિગેરે તેમજ રોટરી ક્લબના સભ્યો અને ઇનરવ્હીલ સભ્યોએ પણ દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરીને દ્વારા કીટમાં સામેલ વસ્તુઓનું ફોલો-અપ્સ ફોર્મ ભરવામાં મદદ કરી હતી રો. ડો. નિશાબેન માખેચાએ કિટની વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા વિશે જણાવ્યું હતું અને દર્દીઓને આ પ્રોજેક્ટની વિશેષ માહિતી આપી હતી અને વ્યસન મુક્ત રહી અને દવા વિગેરે સમયસર લઈ અને સંસ્થા તેમજ ક્ષય કેન્દ્રની મહેનત સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.
આ સમારોહમા UTI મ્યુચ્યુઅલ ફંડ જામનગર બ્રાન્ચના મેનેજર
દામોદર એસ પ્રભુ વિશેષ ઊપસ્થિત રહ્યા હતા
રો. જીજ્ઞેશ લાખાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું
રો.દેવ દત્તાણી,રો.અશ્વિન ચોલેરા,રો.પ્રીતેશ લાખાણી,
રો.ડો.નિશા માખેચા, રો. બિંદુબેન શાહ અને
વિગેરે કીટ વિતરણના કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!