Watch “પોરબંદર માં કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણી એ જનસભા સંબોધી” on YouTube
કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણી નો પોરબંદર માં હુંકાર “સંવિધાન બચાવો દેશ બચાવો “
વિધાનસભા ની ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર માં એડીચોટી નું જોર લગાવવા નું ચાલુ કરયુ છે પોરબંદર માં એક જ દિવસ માં કોંગ્રેસ દ્વારા બે બે દિગગજ નેતાઓ એ સભા ઓ યોજી હતી .જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શક્તિસિંહ ગોહિલ સાથે પરિવર્તન યાત્રા પોરબંદર માં આવતા તેનું પોરબંદર માં સ્વાગત કરાયું હતું અને પોરબંદર માં બપોરે 2.30 કલાકે તજાવાલા હોલ ખાતે જન સભા યોજી હતી ત્યાર બાદ કોંગ્રેસ ના યુવા નેતા અને વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ દલિત વિસ્તાર કડીયા પ્લોટ અને છાયા પ્લોટ માં સત્યાગ્રહ સભા યોજી હતી જેમાં ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા અને સંવિધાન બચાવો દેશ બચાવો નો હુકાર કર્યો હતો. ભારત ને બાબા સાહેબ આંબેડકર સંત રવિ દાસ અને કબીર ની ભૂમિ ગણાવી લોકો ને દેશ બચાવવા ની હાકલ કરી હતી અને 2022 માં કોંગ્રેસ જંગી બહુમતી થી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .જ્યારે અર્જૂન મોઢવાડીયા એ કોંગ્રેસ ના દિગગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપ પાર્ટી કોંગ્રેસ માં પરત ફરતા તેમને શુભેચ્છા સાથે સ્વીકાર કર્યો હતો