વીર માંગડાવાળા નો ઇતિહાસ (અહેવાલ વિરદેવસિંહ જેઠવા)
ભુતવડ એટલે વિર માંગડાવાળો અને પદ્માવતી ની અમર પ્રેમ કથા ની નીશાની આ ભુતવડની જગ્યા આવી છે મેવાસા રોડ ઉપર ભાણવડમાં વીર માગડાવાળો ઘૂમલીના જેઠવા કુળના ભાણેજ હતા એક વાર ઘૂમલી નુ ધણ બહારવટીયા વાળી જાય છે. ત્યારે ઘૂમલીમાં મામા બહારગામ હોવાથી મામી એ રોક્યા છતા. ગાયોની વારે જાય છે. ત્યારે પોતાની પ્રિયતમા પદ્માવતી ને યુદ્ધ લડીને પાછું આવાનુ વચન આપે છે. ત્યાર પછી ગાયોની વારે યુદ્ધમાં માગડાવાળો વીરગતી પામે છે. પરંતું તેમનો જીવ પદ્માવતી મા રહિ જાય છે. ત્યાર બાદ પદ્માવતી ની સગાય અન્ય જગ્યાએ થઇ જાય છે. પદ્માવતી ને પરણવા જાન જાય છે. જાન તેજ વડ પાસેથી પસાર થાય છે. જ્યા માગડાવાળો વીરગતી પામ્યો છે. જેમાં વળાવિયા તરીકે પોતાના કાકા અરસીવાળા હતા. માગડાવાળો કાકાને પદ્માવતી સાથે પરણવાની ઇશા વ્યક્ત કરે છે. પરણીને આ જ વડલે પાછા ઉતરી જવાનુ વચન આપે છે. પદ્માવતી માગડાવાળાને ઓડખીજાય છે અને ત્યા જ વડ નીચે રોકાય છે. અને ત્યાજ પદ્માવતી પોતાનો દેહ સોડે છે. ( વીર માગડાવાળો અને પદ્માવતી ની કથા વીસ્તાર વાચવા માટે વાચો સૌરાષ્ટ્ર ની રસધાર ‘ ભુત રૂવે ભેંકાર)
