અર્જુનલાલ હિરાણી કોલેજ પત્રકારત્વ વિભાગનું મોટા પાયે એલમની મીટનું આયોજન
આવતીકાલે અર્જુનલાલ હિરાણી કોલેજનાં પત્રકારત્વનાં ભુતપુર્વ વિદ્યાર્થીઓની એલમની મીટ એલમની સ્નેહ સંમેલનમાં ભોજન સમારોહ ઉપરાંત પ્રસિદ્ધ હાસ્યકલાકાર અને લોક સાહિત્યકાર સાંઈરામ દવે પત્રકારત્વના વિદ્યાર્થીઓનું મનોરંજન ક૨શે



અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસ રાજકોટન પત્રકારત્વના પૂર્વ વિદ્યાર્થીઓનું એલમની સ્નેહ સંમેલન આગામી ૧૯મી માર્ચના રોજ યોજાવા જઈ રહ્યું છે. આ અભૂતપૂર્વ સુખદ ઘટનાને લઈને હિરાણી કોલેજના પત્રકારત્વના પૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ સ્નેહ સંમેલનમાં કોલેજના ૪૦૦ થી વધુ પૂર્વ છાત્રો મળશે. રહ્યો છે. સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક કામના તનાવમાં રહેતા પત્રકારો અને વિદ્યાર્થીઓ આવી રીતે મળી રહ્યા છે ત્યારે આ વખતે એલમની આયોજન મનોરંજન કેન્દ્રિત રહે તેની કાળજી લેવામાં આવી છે.

મુંજકા નજીક નવા રીંગરોડ પર ડીલાઈટ પાર્ટી પ્લોટમાં તા.૧૯ને રવિવારે સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધી ચાલનારા એલમની સ્નેહ સંમેલનમાં ભોજન સમારોહ ઉપરાંત પ્રસિદ્ધ હાસ્યકલાકાર અને લોક સાહિત્યકાર સાંઈરામ દવે પત્રકારત્વના વિદ્યાર્થીઓનું મનોરંજન કરશે ઉપરાંત સ્નેહમિલન અંતર્ગત મામુ બનાવ્યો છે
ફેઈમ આર.જે. અને કોલેજના ભુતપુર્વ અજુડિયા વિગેરેએ જહેમત ઉઠાવી વિદ્યાર્થી વિનોદ ગોરી ગેઈમ્સ અને રહ્યા છે. મનોરંજન કાર્યક્રમ આપશે. કોલેજના પરફોર્મિંગ આર્ટસ વિભાગના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી સુગમ સંગીત અને શૌર્યગીત રજુ કરશે. આ એલમની સંમેલનમાં પૂર્વ વિદ્યાર્થીઓ માટે ઓપન માઈક કાર્યક્રમ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના સંસ્મરણો વાગોળશે.
કોલેજના પ્રથમ વખત પાર્ટી પ્લોટમાં યોજાશે રહેલા આ સ્નેહ સંમેલનને સફળ બનાવવા માટે શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વિવેક હિરાણીના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વના ના વિભાગના અધ્યક્ષ ડો.કાન્તિ ઠેસિયા તેમજ એલમની એસોશીએશનની કોર ટીમના સભ્યો સર્વ રાજ લકકડ, ડો. દીપકભાઈ મશરૂ, ડો.ઈરોસ વાઝા, કૃણાલ કેસરીયા યોગેશ રાઠોડ, પંકજસિંહ જાડેજા, પ્રતિક સંઘાણી, વિપુલ રાઠોડ, રોહિત હિંડોચા, સન્ની ગોહેલ, છબીલદાસ રાણપરા, પ્રકાશ સોલંકી, કેવલ દવે, રૂચિત વાડોલીયા, અમિત દવે, રવિ મોડાસીયા, આરઝુ અજુડિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે
