પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો 30મી એપ્રિલ સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવશે

રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનની પીટ લાઇન પર ચાલી રહેલા સમારકામના કામને કારણે પશ્ચિમ રેલવેએ પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને 14.04.2024 સુધી સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ સમયગાળો 30.04.2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણોસર હવે નીચેની ટ્રેનો 30.04.2024 સુધી સંપૂર્ણપણે રદ રહેશે:-
1. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર – કાનાલુસ – પોરબંદર
2. ટ્રેન નંબર 09552/09551 પોરબંદર – ભાણવડ – પોરબંદર
3. ટ્રેન નંબર 09549/09550 પોરબંદર – ભાણવડ – પોરબંદર
4. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર – ભાવનગર – પોરબંદર
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
Please follow and like us:
CATEGORIES Porbandar
